દર વર્ષે બારે બાર પુનમો ભરવા સાદરા આવનારાઓની સંખ્યા નાનીસૂની નથી. વર્ષમાં બે વાર, ચૈત્રી પુનમે અને કાર્તિકિ પુનમે, તો છેક અમદાવાદથી પુનમ માઇ મંડળનો ચાલતો સંઘ પગપાળા મુસાફરી કરીને સાદરા આવે જ છે અને જક્ષણીમાતાએ નવચંડી યજ્ઞ થાય છે, ધજા ચડે છે એટલું જ નહી કાર્તિકિ પૂર્ણિમા (દેવદિવાળી) એ તો માતાજીનો અન્નકૂટ પણ ભરાય છે. દર પૂનમે માં ના કૃપાપાત્ર ભક્તો માટે શ્રી અન્નપુણા કેન્દ્ર દ્વારા પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. આ ભોજનયજ્ઞ માં દર પૂનમે ચાર થી પાંચ હજાર ભક્તો માતાજીના પ્રસાદનો લાભ લે છે. આ ઉપરાંત સવાર થી જ ચા - કોફી ની નિશુલ્ક સેવા નો લાભ માતાજીના ભક્તોને આપવામાં આવે છે .